ઉપલેટા,તા.9
ઉપલેટા સ્થિત આટે ઓફ લિવીંગ પરીવાર દ્રારા શહેરની કિલ્લોલ શાળામાં તા. 10 થી 13 મે 20ર4 દરમ્યાન 7 થી 14 વષઁના બાળકો માટે બાલ ચેતના શિબીર નું ફ્રી માં આયોજન કરવામાં આવેલ છે. આ શિબીરમાં ભાગ લેવા માંગતા શહેરના પ્રતિષ્ઠીત વાલીઓએ પોતાના બાળકોને સવારના 9 થી 10.30 દરમ્યાન આ શિબીરમાં જોડાઈ અને જ્ઞાન સાથે ગમ્મત, રમત-ગમત, પ્રાણાયામ, ઘ્યાન, અને જ્ઞાનની સમજ સાથે ઘણું બધું શીખવવામાં આવશે.
તેથી આ શિબીરમાં ભાગ લેવા માંગતા બાળકોના વાલીઓએ મો. 99790 89445, તથા 94282 ક2991 તથા 93748 17035 અથવા સ્થળ ઉપર વાલીઓએ પોતે આવી નોંધ કરાવ્યા બાદ એન્ટ્રી આપવામાં આવશે. તા. 13 મે ના રોજ પુજય શ્રી શ્રી રવિશંકર ગુરૂદેવનો જન્મદિવસ હોવાથી બાળોકો માટેની ખાસ ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy