(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.26 19 /4 થી શરૂ થયેલી આ કથા નું આજરોજ 25 /4 ના રોજ સમાપન કરવામાં આવ્યું કચ્છના પંડ્યા પરિવાર સૌજન્યથી અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલી આ કથામાં રાજ્યની વિવિધ અંધશાળાઓના તેમજ આવાસોમાં વસતા અઢીસો જેટલા સુરદાસોએ ભાગવત રસનું પાન કર્યું કચ્છના પંડ્યા પરિવાર દર વર્ષે જુદા જુદા તીર્થોમાં આ પ્રકારની અંધ સૂરદાસ માનવસેવા કરે છે આ અગાઉ હરિદ્વાર ઋષિકેશ શુકલતીર્થ લોએજ અને સોમનાથ ખાતે ભાગવત કથા યોજાઈ જે નવમું આયોજન હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક પ્રોત્સાહન આપ્યું કથામાં વ્યાસપીઠે ભક્તિ વેદાંત વન ગોસ્વામી મહારાજ વૃંદાવન એ કથા પાન કરાવ્યું અને આ પ્રસંગે ગુરુજીના 22 શિષ્યો વિદેશ થી કથા શ્રવણ કરવા સોમનાથ પધારેલ અને કુલ 250 પ્રજ્ઞાચક્ષુ શિષ્ય ભક્તોએ પણ હાજરી આપી આયોજકોએ તરફથી અંધજનોને લાવવા લઈ જવા રહેવા જમવા અને પ્રવાસમાં ચા પાણી ભોજન તથા સહાયકની વ્યવસ્થા કરવામાં આવી હતી કથામાં કચ્છ ભુજ રાજપીપળા ગરુડેશ્વર માધાપર શાંતિ નિકેતન અંધજન મંડળ ભચાઉ પેટલાદ વૃદ્ધાશ્રમ અંતે વાસીઓ આ કથા શ્રવણ કરી ધન્ય બન્યા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy