(મિલાપ રૂપારેલ દ્વારા)
અમરેલી,તા.1
અમરેલીમાં અબોલ જીવ, પશુ-પક્ષી, તેમજ જરૂરિયાત વાળા લોકો માટે સેવાનો ભેખ ધારણ કરનાર માનવપ્રેમી, કરૂણા અને સેવા પરમો ધર્મ જેનું જીવન સૂત્ર હતું,‘રક્તતદાન મહાદાન અભિયાનને સાર્થક કરનારઅમરેલી જિલ્લાને સૌપ્રથમ વાર બ્લડ ગ્રુપની ડિરેકટરી બનાવી લોકોને આ સેવાના ભગીરથ કાર્ય માટે સાથે જોડનાર, જે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ લોક કલ્યાણના કાર્ય માટે સદા કાર્ય કરનાર, સેવા ટ્રસ્ટની સ્થાપના કરનાર દિવંગત ચંદુભાઈ સંઘાણીની દ્વિતિય પુણ્યતિથી નિમિતે તા. 28/4/2024ને રવિવારના રોજ જીવરાજ મહેતા ચોક રાજકમલ ચોક અમરેલી ખાતે સેવા ટ્રસ્ટ દ્વારા દિવંગત ચંદુભાઈ સંઘાણીને ખૂબ જ વહાલી ચકલીઓ માટે ચકલીઘર તેમજ ઠંડી છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું. દિવંગત ચંદુભાઈ સંઘાણીની દ્વિતિય પુણ્યતિથી નિમિતે મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સંઘાણી પરિવાર દ્વારા સારહી તપોવન આશ્રમ ખાતે તપસ્વીઓ સાથે ભોજનનું આયોજન તેમજ મારુતિ ધૂન મંડળ જેસીંગપરા દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાંસારહી યુથ કલબના સભ્યો, શુભેચ્છકો તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy