(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.4
આજરોજ તારીખ 3 ને શુક્રવારે ભાવનગર થી રાજકોટ જતી એસટી નિગમ ની સાંજે 4.30 વાગ્યે ઉપડતી એસી કોચ બસ નંબર જીજે7વાયઝેડ 6344 માં પાવર સપ્લાય બંધ થઈ જતા પ્રવાસીઓ માં વ્યાપક કચવાટ સાથે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ત્યારબાદ એ બસને ખાલી કરાવી અન્ય બસ માં પ્રવાસીઓ ને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ છતાં આ ઉભી થયેલ તકલીફ દરમિયાન લગભગ એક કલાક જેટલી મોડી બસ ઉપાડવામાં આવી હતી. ભાવનગર એસટી બસ સ્ટેન્ડ માં પાવર યુનિટ બંધ થઈ ગયુ..! અગર અર્ધા રસ્તે મુસાફરી કર્યા પછી પછી આવી તકલીફ ઉભી થઈ હોત તો...મોંઘાદાટ બસ ભાડા ખર્ચી ને પ્રવાસ કરતા મહિલા વર્ગ અને નાના ભૂલકાઓ સાથે બસમાં હોય એવા પ્રવાસીઓની હાલત શું થઈ હોત..? એ વિચાર પણ વહિવટીતંત્ર ને આવવો જોઈએ..
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy