ભાવનગર,તા.13
ભાવનગરના અને હાલ અમદાવાદ સ્થિત પત્રકાર હસિતભાઇ જીતેન્દ્રભાઈ અધ્વર્યું તા.12/4ને શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. જીતેન્દ્રભાઈ બાલુશંકર, સ્વ. ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઈ અધ્વર્યુંના નાના પુત્ર, હરિતા અધ્વર્યું (ડાઈટીશીયન)ના પતિ, પુનિતભાઈ જીતેન્દ્રભાઈ અધ્વર્યું (પત્રકાર, ભાવનગર)ના ભાઈ, મીરાબેન કૌશલકુમાર આચાર્યના ભાઈ, નિસર્ગ, પૂર્વગ નાપિતા, મહેન્દ્રભાઈ કેશવલાલ મણિયારના જમાઈ, સ્વ. નિલેશભાઈ મણિયાર, પલ્લવીબેન કિર્તીભાઈ સાંગાણી, નેહલબેન પ્રેમભાઈ સુહાગના બનેવી થાય. તેમની પ્રાર્થના સભા તા.14/4ને રવિવારે, સવારે 9.30 થી 11.30, શ્રી રણછોડરાયજીનું મંદિર, જીવરાજ પાર્ક ભાનુચંદ્ર સોસાયટી પાસે, 132 ફૂટ રીંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ રાખેલ છે. હસિતભાઈના આકસ્મિક અવસાન થી પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. ભાવનગર ફ્રેશ ક્લબ દ્વારા હસિતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવાઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy