(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.4
ભાવનગરના રૂપાણી સર્કલ નજીક જવાહર મેદાનની સામે આવેલ સુપ્રસિદ્ધ અને ભાવનગરવાસીઓના આસ્થા ના પ્રતિકસમા ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત શ્રી મદાનમોહન દાસજીનું નિધન થયું છે.તેઓ એ 115 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.આજે સવારે 7 થી 9 કલાક સુધી તેમના પાર્થિવ દેહને ભક્તજનો ના દર્શન માટે રખાતા મોટી સંખ્યામાં ભક્તજનો પૂ. બાપુના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
શ્રી મદનમોહન દાસ બાપુ ખુબજ લોકપ્રિય જગ્યા ગોળીબાર હનુમાનજી મંદિર ના વર્ષોથી મહંત હતા. મહંત શ્રી મદનમોહનબાપુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ બહોળો ભક્ત સમુદાય ધરાવતા હતા. તેમના દેવા વિલયથી સમગ્ર ભાવનગર માં અને ભક્તજનો માં શોક ની લાગણી પ્રસરી છે. પૂજ્ય મદ મોહન દાસજી ની ગૌ માતા પ્રત્યે નો પ્રેમ સેવા અને પરમ પૂજ્ય મદન મોહનદાસજી ની ભાવનગર તેમજ સૌરાષ્ટ્ર ના અસંખ્ય સેવકો પ્રત્યે ની પ્રેમ લાગણી હરહંમેશ જીવંત રહેશે.પૂ. મદનમોહનદાસ બાપુ ના દેહ ને હરિદ્વાર લઈ જવામાં આવશે. ગંગા નદીના કિનારે અંતિમ સંસ્કાર કરાવવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy