કરનાલ (હરિયાણા), તા.3
ક્રાઇમ બ્રાંચ કુરુક્ષેત્રમાં તૈનાત કરનાલના કુટેલ ગામના એએસઆઇની ગઇકાલે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે બાઇક સવાર બે હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરતા ચકચાર ફેલાઇ હતી. એએસઆઇ સંજીવકુમાર (ઉ.વ. 42) ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યે જમીને પોતાના કુટેલ સ્થિત મકાન સામે વોકીંગ કરી રહ્યા હતા ત્યાં બાઇક પર આવેલા બે બદમાશો સંજીવકુમારના માથા પર બે ગોળી ચલાવીને ફરાર થઇ ગયા હતા. ગોળીનો અવાજ સાંભળી પરિવારની મહિલાઓ બહાર દોડી આવી હતી. તેમણે જોયું કે સંજીવકુમાર લોહી લુહાણ હાલતમાં માર્ગ પર પડ્યા હતા. તેમને હોસ્પિટલે ખસેડાયા હતા. સારવાર દરમિયાન જ એએસઆઇ સંજીવકુમારનું મૃત્યુ થયું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક એએસઆઇને કોઇની સાથે દુશ્મની નહોતી હત્યાનું કારણ હજુ બહાર નથી આવ્યું. પોલીસ હુમલાખોરોને ઝડપવા સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy