રાજકોટ, તા.8
રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયાનો આવતીકાલ તા. 9 નાં રોજ જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના 70 વર્ષ પૂર્ણ કરી 71માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
કિરીટભાઈ કેસરીયા લોહાણા જ્ઞાતિનો વિકટ પ્રશ્ર્ન બની ગયેલ દિકરા દિકરીનાં વેવિશાળના મુદે કાર્યરત છે. સમગ્ર ભારતમાં વોટસએપ દ્વારા 70 ગ્રુપની શરૂઆત કરી હજજારો દિકરા-દિકરીઓની માહિતી ઘેર બેઠા પરસ્પર મળી રહે તે માટે બાયોડેટાની આપ-લે કરી નવતર પ્રયાસ કર્યો છે, રાજકોટના નામાંકિત રઘુવંશી અગ્રણીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ કિરીટભાઈની આ સેવાનો લાભ લેવા સદા તત્પર હોય છે અને તે લોકોની પ્રશંસાપાત્ર બની ગયેલ છે. આ ઉપરાંત અનેક મેરેજ બ્યુરોમાં પોતાની નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.
લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમિટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહિતની જ્ઞાતી સંસ્થાઓમાં સતત સક્રિય છે. તેમના જન્મદિન નિમિત્તે મો.નં. 98242 24270 પર શુભેચ્છાઓ મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy