ઉના, તા.25 ગીરગઢડા નાં જંગલ બોર્ડર નાં સણોસરા ગામની સીમમાંથી ડુંગર ને કોતરીને બેફામપણે ગેરકાયદે ખનિજનું ખનન કરીને ઊઠાંતરી કરી લેવાતું હોવાનું બહાર આવી રહ્યું છે જંગલનાં ઈકો સેનસીટીવ જોન વિસ્તારમાં પ્રતિબંધગણાતાંસેનસેટીવ જોન માં આવેલાં ડુંગરા ખોદીને મોટાં પાયે ખનિજ નું ખનન કરાયેલું જોવાં મળી રહ્યું છે આ ખનિજ કોણે ઊઠાવ્યું? કોની મહેરબાની હેઠળ ખનિજ ખોરી આચરવામાં આવી છે તેવાં અનેક સવાલો પર્યાવરણ પ્રેમી જનતામાં ઊઠવા પામેલ છે. ગીર ગઢડા તાલુકાના સણોસરો ગામમાં ગોજારા વિસ્તારમાં આવેલ જંગલ વિસ્તાર નાં ઈકો સેનસટીવ જોન પ્રતિબંધ વિસ્તાર આવેલ છે અને આ વિસ્તારમાં અવાર નવાર વન્ય પ્રાણી ની અવર જવર કરતાં હોય છે ડુંગર નાં પહાડ ને વગર પરમીટ કે મંજુરી લીધાં વગર મોટાં જે સી બી હિટાચી જેવાં સાધનો મારફતે માટી અને લાલ કપચી કાઢીને ચોરી કરી ટ્રક ટ્રેકટરો મારફતે બે ફામ રીતે ડુંગર ને ચારે તરફથી કોતરીને પર્યાવરણને મોટું નુક્સાન પહોંચાડી મોટે પાયે ખનીજ ચોરી થઇ રહી છે. અને ઊંડા પહોળા તળાવ જેવાં ખાંડા પાડી ને હજારો ટન ખનીજ માટીનું ખનન કરી લેવાતું હોવા છતાં પણ વન્ય વિભાગ નાં અને રેવન્યુ વિભાગનાં અધિકારી મૌન સેવ્યું હોય તેમ ખનિજ માફીયા ને પ્રોત્સાહન આપી રહ્યા છે?? થોડાં સમય પહેલાં જીલ્લા કલેકટર દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ખનિજ પ્રવૃત્તિ બંધ કરાવવાં આદેશ કર્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં મોટાં માથાં ગણાતાં ખનિજ ખોરો શાંત થઈ ગયાં હતાં પરંતુ તંત્ર ચૂંટણી માં લાગતાની સાથે ખનિજ માફીયા સક્રિય થઈને જંગલનાં બોર્ડર પર આવેલા ગામોમાં ખનિજ ખોરી શરૂ કરી મોટાં પાયે દિવસ રાત્રિ દરમિયાન ખનિજ ની ચોરી કરી ઊઠાંતરી કરતાં આ બાબતે કોઈ અધિકાર કે જવાબદાર તંત્ર એ પગલાં નહીં લેતાં આ પ્રકાર ખનિજ ચોરીના કારણે ધીરે ધીરે જંગલની હદ વિસ્તાર નાં ડુંગરા કોતરાઈ જશે અને કુદરતી પ્રકૃતિનો નાશ કરી નાખવામાં આવશે તેની ચિંતા વન્ય પર્યાવરણ પ્રેમી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy