જામનગર તા.7: જામજોધપુર તાલુકાના ભરડકી ગામે વિકાસકામો ન થવાને કારણે સ્થાનિક પ્રજામાં વ્યાપક રોષ પ્રર્વતી રહ્યો છે અને મતદાનનો બહિષ્કાર કરવામા આવ્યો છે.આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા અંતે મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામવામા આવ્યું છે.જામજોધપુર તાલુકાના ભરડકી ગામે છેલ્લા 10 વર્ષ થયા વિકાસના એક પણ કામો થયા નથી.
જેમાં ભરડકી થી સડોદર રોડ બગડી ગયેલ હોય તેને પેવર રોડનું કામ થયું નથી, ગામમાં પીવાના તથા ખેતીના પિયતના પાણીની સમસ્યા ખુબ જ છે તેમજ બાજુના નેશમાં વીજમીટરો નથી આવા અનેક વિકાસના કામો છેલ્લા 10 વર્ષ થયા નથી,તંત્ર સહિત પ્રજાના પ્રતિનિધિઓને અનેક વખત રજૂઆત કરી છતા પશ્નનો નિકાલ ન થતા ગ્રામજનો દ્વારા લોકસભાની તા.7ના રોજ યોજાનાર ચૂંટણીમાં ગ્રામજનો મતદાન નહીં કરી બહિષ્કાર કરવાની જાણ મામલતદાર તેમજ વિવિધ તંત્રને ગ્રામજનો દ્વારા લેખિતમાં કરાઇ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy