પોરબંદર,તા.24
પોરબંદર રિલાયન્સ ફુવારા પાસે રહેતા વજૂભાઇ મનજીભાઇ વાઘેલાની તેમના સગા ભત્રીજા દેવા વેલજી વાઘેલા એ કરપીણ હત્યા કરી છે. મૃતકના જમાઇ અશોક ચાળમીયાએ જણાવ્યું કે, તે અને તેના સસરા નો પરિવાર રિલાયન્સ ફુવારા પાસે ખાટલાના પાયા ના ડટ્ટા નું વેચાણ કરતા હતા. ત્યારબાદ તેના સસરા વજૂભાઇ ભીખ માંગવા માટે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પોણા દસ વાગ્યે રિલાયન્સ ફુવારા નજીક બસ સ્ટેશનથી બહાર નીકળવાના ગેટ સામે તેના સસરા અને તેનો ભત્રીજો દેવા વેલજી વાઘેલા વચ્ચે બોલાચાલી થઈ હતી.
ઝગડા નો અવાજ સાંભળતા ફરીયાદી અશોક તેની ભાવિ પત્ની અને બંને સાળા ત્યાં ગયા હતા. ત્યારે જોયું તો દેવાના હાથમાં છરી હતી અને તે વડે વજૂભાઇના પગમાં મારી રહ્યો હતો અને વજૂભાઇ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. ત્યારબાદ દેવો પણ છરી લઈને વજૂભાઇ પાસે નીચે બેસી ગયો હતો. દેવો વજૂભાઈને રોડ ઉપર ઢસડીને બાજુની ચાની કેબીન પાસે ફૂટપાથ પર લઇ ગયો હતો અને ત્યાં જઈને દેવાએ પોતાના હાથમાં રહેલી છરી પોતાની મેળે પોતાના જ પગમાં મારી દીધી હતી.
ઇજાગ્રસ્ત વજુભાઈને ભાવસિંહજી હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આરોપી દેવા વેલજી વાઘેલા પોલીસ જાપ્તા હેઠળ ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે હત્યાનું કારણ શું હતું તેની માહિતી બહાર લાવવા દેવાની પૂછપરછ કરવામાં આવી આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy