મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા વાળા અને હાલ મુંબઈ દ્વારા સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારમાં છાશ વિતરણ થાય છે.
જેમાં જલારામ મંદિર, ઉતાવળા હનુમાન,ગાયત્રી મઠ, ડોક્ટર જાની સાહેબ રઘુવંશીપરા, કમા બાપા ની વાડી અને પરમ પૂજ્ય જ્યોતિ મૈયા સનાતન આશ્રમ બાઢડા આ છ કેન્દ્ર ઉપર અંદાજિત 2200 થી 2500 પરિવારોને દરરોજ છાસ વિતરણ થાય છે અને સવારના સાડા 6:30 કલાક પછી આ છાશ કેન્દ્ર શરૂ હોય છે. ઉલ્લેખનીય છે કે આ ઉનાળા ની ગરમી માં છાસ ઘણી રાહત આપે છે ત્યારે આ દાતાઓ દરરોજ અંદાજે 10,000 લોકોની આંતરડી ઠારે છે.
આ કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરી અનેક લોકોને ઉપયોગી થવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ દાતા આપી રહ્યા છે.
(તસ્વીર : સૌરભ દોશી-સાવરકુંડલા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy