કેનેડાના ભારત વિરોધી વડાપ્રધાન ટ્રુડોના વળતા પાણી

India, World | 05 July, 2024 | 11:35 AM
અત્યારે ચૂંટણી થાય તો હાર નિશ્ચિત હોવાનો સર્વે: માત્ર 27 ટકા લોકોનું જ સમર્થન હોવાનો રિપોર્ટ
સાંજ સમાચાર

ટોરેન્ટો,તા.5
ભારત વિરૂદ્ધ સતત બકવાસ કરી રહેલા કેનેડાના વડા પ્રદાન જસ્ટિન ટ્રુડોની ઉલ્ટી ગિનતિ શરૂ થઇ ગઇ છે. એક સર્વેક્ષણ પ્રમાણે જો અત્યારે ચૂંટણી યોજાય તો ટ્રુડો અને તેમની પાર્ટી લિબરલ પાર્ટીની હાર નિશ્ચિત બને તેમ છે તેટલું જ નહીં પરંતુ તેની સાથી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ પણ જનતાનું સમર્થન ગુમાવ્યું છે.

ભારત વિરોધી સતત નિવેદનો કરવા માટે તેમજ દેશમાં વિકાસ વિરોધી કામો કરવા માટે તેમણે પહેલેથી જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. કેનેડાની સંસદમાં ખાલિસ્તાનીઓ તરફી નારાબાજી કરાવવી, ખાલિસ્તાનિઓના કાર્યક્રમોમાં હાજરી આપવી 

અને ભારત ઉપર કોઈ પણ કારણ વગર તેમજ આધાર વગર આક્ષેપો કરવા માટે ટ્રુડો કુખ્યાત બની રહ્યા છે. તેથી જે અત્યારે ચૂંટણી યોજાય તો તેમની સરકાર ટકી શકે તેમ નથી.

બીજી તરફ ઇન્ડો કેનેડીયન જગમીત સિંધનાં નેતૃત્વ નીચેની ન્યૂડેમોક્રેટિક પાર્ટી (એન.ડી.પી.) પણ લોક સમર્થન ગુમાવી રહી છે. 2021ની ચૂંટણીમાં એનડીપીએ 18 ટકા મત મેળવ્યા હતા. તે ઘટીને 17 ટકા થવા સંભવ છે.

જે એજન્સીએ પ્રીપોલ સર્વે શરૂ કરી દીધા છે તેમાં જાણવા મળ્યું છે કે એનડીપી અને જગમીત સિંઘ અંગે જનતા કહે છે તેમની ધારણા 32 ટકા ખોટી રહી છે. માત્ર 20 ટકા જ તેની તરફેણમાં છે.

છેલ્લા સર્વે પ્રમાણે કોન્ઝર્વેટિવ પાર્ટીને 41 ટકાનું સમર્થન છે. જ્યારે ટ્રુડોની લિબરલ પાર્ટીને 27 ટકાનું જ સમર્થન છે. તેનો વોટ શેર હજી પણ ઘટીને 17 ટકાથી 11 ટકા જેટલો નીચે જવા સંભવ છે. સર્વે તેમ પણ જણાવે છે કે જો અત્યારે ચૂંટણી યોજાય તો ટ્રુડોની પાર્ટીને માત્ર 67 સીટો જ મળે તેમ છે. જ્યારે કોન્ઝર્વેટિવ્ઝને 218 સીટ મળે તેમ છે.

એનડીપીને મુંઝવનાર બાબત તે છે કે ટોરેન્ટો-સેન્ટપોલની પેટા ચૂંટણીમાં એનડીપીને માત્ર 11 ટકા જ મત મળ્યા હતા. જે પહેલાં મળેલા 17 ટકા કરતાં ઘણા ઓછા છે. પરિણામે 1993થી જે બેઠક ઉપર 31 વર્ષથી કબ્જો હતો તે બેઠક જ એનડીપીએ ગુમાવવી પડી છે.

જગમીત સિંઘ ઓક્ટો. 2017માં એનડીપીના પ્રમુખ બન્યા. ત્યારે પહેલી જ વખત સંઘીય ચૂંટણીમાં ઝૂકાવતાં હાઉસ ઓફ કોમન્સમા 49 સીટને આશરે 20 ટકા મત મળ્યા હતા. 2021માં તેના 21 સાંસદો જ ચૂંટાયા. વોટ શેર ઘટીને 18 ટકા થયો.

હવે એક સમયે ટ્રુડોને સાથ આપનારા જગમીત સિંઘ કહે છે કે તેઓ લિબરલ પાર્ટીથી નિરાશ થયા છે તે માટે તેમને કારણો પણ છે. પરંતુ શાં કારણ છે તે તેમણે જણાવ્યું ન હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj