(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.19 વાંકાનેરમાં મોમીન યુવાનોએ પોતાના પીર ધર્મગુરૂના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી ત્રણ હજાર ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કયુર્ં હતું. વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં વસતા મોમીન સમાજના પીર ધર્મગુરૂ ખાનકાહે મોમીનશાહબાવા (રહે.) ચંદ્રપુર શરીફના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો યોમે વિલાદતનો દિવસ. 20 એપ્રિલના દર વર્ષે અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમી મનુય માટે પણ આકરી બની રહેતી હોય છે. ત્યારે પંખી પારેવડા માટે આ ગરમીની સીઝનમાં ખુલ્લા આકાશ અને ધરતી પર જીવન ગુજારવું મુશ્કેલ બનતું હોય છે. ત્યારે યુવાનો દ્વારા પોતાના ધર્મગુરૂના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રણ હજાર ચકલીના માળાઓ નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વીડી ભોજપરા ગામના નાની ગાદીના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy