(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.1
મોચી સમાજના સંત શિરોમણી ભક્તરાજ પૂં લાલાબાપા ની 83 મી પૂણ્યતિથી નીં આજે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર. દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશમા પણ વિવિધ આયોજનો સાથે ભક્તિભાવ સભર ઉજવણી કરવામાં આવેલ હતી.
સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના ગામે ગામ આજરોજ પૂ લાલાબાપાની 83 મી પૂણ્યતિથિ નિમીત્તે મોચી જ્ઞાતિ સમાજે પોતાના વેપાર ધંધા રોજગાર બંધ પાળ્યા હતાં.
દરેક ગામમાં વસવાટ કરતા મોચી સમાજના લોકોએ પૂ લાલાબાપા ની સ્થાપના.ઘણા સ્થળે ભગવાન સત્ય નારાયણ ની પૂજા.સાંજના સમયે નિયત સ્થળે એકઠા થઇ પૂ લાલાબાપા ના તસ્વીરી સાનિધ્ય માં પવિત્ર વાતાવરણ માં મહાઆરતી બાદ મહિલા મંડળનાં બહેનો દ્વારા સત્સંગ.. ભજન.ધૂન.કિર્તન વડે ભક્તરાજને ભક્તિભાવ સભર શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
અમદાવાદનાં સરખેજ ગામ ખાતે પણ મોચી સમાજના જ્ઞાતિજનો દ્વારા પૂ લાલાબાપાની પૂણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું.ત્યારબાદ ઉપસ્થિત સમાજ નાં જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યુ હોય જ્ઞાતિ સમાજે સમુહ ભોજન ગ્રહણ કર્યુ હતું.દરેક ગામોમાં આ આયોજન બદલ જ્ઞાતિસમાજ માં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો.અને આયોજન સફળ બનાવવા સમાજનાં નવયુવાન થી અબાલ વૃધ્ધ સહિત નાં જ્ઞાતિજનોં એ ભારે જહેમત ઉઠાવી તન.મન.અને ધન થી સ્વયંભુ સહકાર આપી સહભાગી બન્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy