(ભોલુ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.6
ઉપલેટામાં સોની બજારમાં આવેલી વ્રજભુવન (જુની) હવેલીના સજાવટ ગ્રુપ દ્વારા ગઈ કાલે શ્રીમદ્ વલ્લભાચાર્યજીના 547માં પ્રાગટય મહોત્સવની ભકિતભાવ પુર્વક શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે સવારે 9 વાગ્યે પલના બપોરે 12 વાગ્યે તિલકના દર્શન અને સાંજે 5 વાગ્યે હવેલી ખાતેથી વૈષ્ણવ ભાઈ બહેનોની વિશાળ હાજરી સાથે ભવ્ય શોભાયાત્રા (વણોંગી) નિકળેલ હતી.જેમાં શણગારેલા વાહનો અને ડીજેના સથવારે ભાઈઓએ પુષ્ટિ પરંપરા મુજબ ધોતી બંડી, અને બહેનોએ કેશરી સાડીના પરિધાન સાથે જોડાયા હતા.આ શોભાયાત્રા જીકરીયા ચોક, ગાંધી ચોક, રાજમાર્ગે, બાવલા ચોક, બસ સ્ટેન્ડર ચોક, કચરાડાય ચોક, પાંજરાપોળ ચોક, નટવર રોડ સહીત શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરેલ જેમાં ભાઈ બહેનોએ ચોકે ચોકે ડીજેના તાલે રાસ લીધેલ હતાં.અને શોભાયાત્રાના રૂટમાં ઠેર ઠેર ભાવિકો દ્વારા વૈષ્ણવો માટે ઠંડાપીણા અને સરબતોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાંજે 7 વાગ્યે શયનમાં બંગલાના દર્શનમાં કિર્તનકારો જગદીશભાઈ રાઠોડ, સુરેશભાઈ માંડલીયા, નરેશભાઈ માંડલીયા દ્વારા વધાઈ કિર્તન કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત વિશાળ સંખ્યાનાં વૈષ્ણવોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમને સફળ બનવવા સજાવટ ગ્રુપના કમલેશભાઈ રાજપરાના માર્ગદર્શન નીચે રસીકભાઈ પડીયા, મનીષભાઈ રાજપરા, મિહીરભાઈ ધોળકીયા, સંદિપભાઈ ગેડીયા, હર્ષિતભાઈ રાણપરા, ચંદ્રેશભાઈ ચાવડા, જગદીશભાઈ ચોકસી, રાજુભાઈ માંડલીયા, સહીતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy