(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.23
ભાવનગરમાં હનુમાન જયંતીની ભારે આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. આજે હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી મહારાજના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુ દર્શનાર્થી અને પૂજન અર્ચન અર્થે ઊંઘી પડ્યા હતા બજરંગ દળ દ્વારા શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવેલ. ભાવનગર શહેરના ગોળીબાર હનુમાનજી મંદિર, રોકડિયા હનુમાનજી મંદિર, ઝાંઝરીયા હનુમાનજી મંદિર, ફુલસરિયા હનુમાનજી મંદિર, સિહોરના હનુમાનધારા મંદિર, આંબલાના વાંકિયા હનુમાનજી સહિતના શહેર અને જિલ્લાના મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અંજની પુત્ર પર તેલ, અડદ અને સિંદૂર ચઢાવી શ્રીફળ ધરાવવામાં આવ્યું હતું. અનેક જગ્યાએ બટુક ભોજન, રામ દરબાર, સુંદરકાંડના પાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy