માઁ આશાપુરાધામ (કચ્છ) માતાજીના મઢ ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગઇકાલે તા.8ના સોમવારના ઘટ સ્થાપન કરવામાં આવેલ, ઘટ સ્થાપનમાં અધ્યક્ષ કચ્છના રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી, ગોરમહારાજ દેવપ્રસાદજી દ્વારા પૂજાવિધિ કરાઇ હતી. આજથી નવ દિવસ આશાપુરાધામ ખાતે માતા આશાપુરાના ગુણગાન ગવાશે, માતાજીના ગરબા, પાઠ, શ્ર્લોક વગેરે સહિતના આયોજનો થયા છે. ઘટ સ્થાપન વખતે સમગ્ર ટ્રસ્ટીગણ, માઇભકતો, સેવકગણ ઉપસ્થિત રહ્યો હતો. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમ્યાન હજારો માઇ ભકતો દર્શનાર્થે આવી પહોંચશે.
(તસ્વીર : વિનોદ પોપટ - રાજકોટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy