ધોરાજી તા.4
જામકંડોરણાના છગનભાઈ નારદભાઈ રાદડીયા અને તેમના પત્ની લીલાબેન છગનભાઈ રાદડીયાના અવસાન થતા જામકંડોરણાના સેવાભાવી યુવાન વિનુભાઈ રાદડીયાએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પીટલ ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને જામકંડોરણા સરકારી હોસ્પીટલના ડો. ભરતભાઈ આહીર અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર, નિતીન ચુડાસમા, પ્રતીક કંડોલીયા, નીતીનભાઈ સાગઠીયા સહિતનાઓએ પોતાની માનદ સેવાઓ આપેલ હતી. આ તકે સંજયભાઈ રાદડીયા, દિવ્યેશભાઈ રાદડીયા, દિનેશભાઈ ઠુંમર, સંજયભાઈ બોદર, રાજેશભાઈ રાદડીયા, જીતુભાઈ કોયાણી, વિનુભાઈ રાદડીયા, નારદભાઈ બાલધા, ધર્મેન્દ્રભાઈ વેકરીયા, મયુરભાઈ બાલધા સહિતના હાજર રહેલ હતા.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ જામકંડોરણાના રાદડીયા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. દંપતીને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
આ તકે ખેડુત નેતા જયેશભાઈ રાદડીયાએ સ્વ.ને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. જામકંડોરણામાં પ્રથમ વખત એકી સાથે બે વ્યકિતઓના ચક્ષુદાનથી 4 વ્યકિતઓના જીવનમાં અંધારા દુર થશે. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને આ 262મું ચક્ષુદાન મળેલ છે. આ તકે હાજર સમાજ શ્રેષ્ઠીઓ સહિતના લોકોએ માનવ સેવા યુવક મંડળની સેવાઓને બીરદાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy