(ફારૂક ચૌૈહાણ) વઢવાણ,તા.27
બીએપીએસ સુરેન્દ્રનગર મંદિર ખાતે 24-25- 26 એપ્રિલના રોજ બાળવિકાસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, તે અન્વયે તારીખ 25ના રોજ યોગ અંગેની માહિતી માટે તેમજ યોગથી થતા ફાયદાઓ વિશે બાળપણથી જ સમજણ અને જાગૃતિ આવે તેવા હેતુથી એક યોગ નિદર્શન અને યોગ અભ્યાસસત્રનું આયોજન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે કરવામાં આવેલ હતું.
તેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરેન્દ્રનગરના યોગ કોચ પરેશભાઈ પરમાર, રૂપેશભાઈ ભટ્ટ, શ્રીમતી ઈલાબેન કવા, શ્રીમતી અંજનાબેન કવા તથા શ્રીમતી નીલાબેન દેવમુરારી દ્વારા યોગ તજજ્ઞ તરીકેની સેવાઓ આપવામા આવેલ હતી..
આ બાળવિકાસ પર્વમાં 150 બાળકો તેમજ 150 બાલિકાઓએ ભાગ લીધો હતો.આ શિબિરને સફળ બનાવવા બાળ પ્રવૃત્તિના પ્રણેતા સ્વામીશ્રી તથા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy