(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા.19
ભગવાન શ્રી રામના જન્મ દિવસ એવા રામ નવમી અને નવમા નોરતે ચોટીલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સનાતન ધર્મ અને શાસ્ત્રો તેમજ સનાતની ઇતિહાસ વિશે સનાતની લોકો વધુમાં વધુ માહિતગાર બને તેમજ બાળકોમાં ધર્મની સાચી સમજ, સંસ્કૃત ભાષા તેવા આશય સાથે આસ્થા કોમ્પલેક્ષમાં સનાતન ધર્મની પાઠશાળા- બાળ સંસ્કાર કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ચિન્મય સાધનાલયના મીરાબેન તથા ભોલાજી, મોટી જગ્યાનાં મહંત ડો. હરિપ્રસાદ નિમાવત, ડુંગર મહંત પરિવારના મનસુખગીરી, વસંતગીરી, કબીર આશ્રમ અને ખોડીયાર આશ્રમ મહંત, જલારામ મંદિરના ટ્રસ્ટી દામજીબાપા, દરબાર મહાવીરભાઈ ખાચર, ડો. ગોધાણી, ડો. ડાભી સહિત ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કાર્યક્રમનાં સંચાલક ડો.રાજુભાઇ આચાર્ય દ્વારા તેમજ વિવિધ આગેવાનો દ્વારા શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવેલ.
પ્રસંગની શરૂઆત ભારતમાતા અને સરસ્વતી દેવીની પ્રતિમા સમક્ષ સ્તુતિ અને દિપ પ્રાગટય કરીને કરવામાં આવેલ હતી સાધનાલયના મીરાબેને સંસ્કૃત તેમજ સંસ્કારો વિશે માહિતી આપી તેમજ ઉપસ્થિત સનાતનીઓને પોતાના તથા આસપાસના બાળકોને સંસ્કાર કેન્દ્રમાં મોકલવા માટેની જાગૃતિ દાખવવાની ટકોર કરી હતી. શુભારંભનાં સમયે 11 બાળ ઋષિ કુમાર કન્યાઓને ઢોલ વગાડી કુમકુમ તિલક અને કાંડુ બાંધી પાઠશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેઓને સપ્તાહમાં શનિ અને રવીવાર બે દિવસ સનાતન ધર્મગ્રંથો અને સંસ્કૃતિના બોધપાઠ આપવામાં આવશે.
આ સંસ્કાર કેન્દ્ર ચલાવવાની જવાબદારી સંભાળનાર પરિષદનાં ભરતસિંહ ડાભીએ પાઠશાળાનાં વિચાર ને સાકાર કરાવનાર તમામનો ઉલ્લેખ સાથે આભાર વ્યક્ત કરી વર્તમાન સમયમાં બાળકો માટે આવા કેન્દ્ર ની જરૂરીયાત અંગે તેમનાં વિચારો જણાવી ભાર મૂકેલ હતો
આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં તમામ પ્રકારનો સહકાર આપનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ વિવિધ સનાતની યુવા ગૃપો તેમજ સહકાર આપનાર સનાતનીઓને શાલ ઓઢાડી અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામચદ્રજીની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવેલ હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy