વઢવાણ: ફારૂક ચૌહાણ વઢવાણ તા.19
શ્રી ઔદીત્ય બ્રહ્મસમાજ દ્વારા તા.16ના રોજ બ્રહ્મસમાજની વાડીમાં તમામ જ્ઞાતિના પ્રમુખ, મંત્રી તથા ટ્રસ્ટીઓ તેમજ ઉદ્યોગપતિ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકની હાજરીમાં સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી પદ્મશ્રી એવોર્ડ મળતા 80 ફુટના રોડ પરનું સર્કલ વાણંદ સમાજના સંત શિરોમણી સેન ભગતજી મહારાજનો ચોક ફાળવેલ હતો.
જે હવે જગદીશભાઈ ત્રિવેદી તરીકે આપવા સહમત થયેલ તે બદલ વાણંદ જ્ઞાતિ સમાજના પ્રમુખ જયેશભાઈ ભૈંજારીયા, મે. ટ્રસ્ટી હર્ષદભાઈ પરમાર ટ્રસ્ટી નરેન્દ્રભાઈ લાંધણીની, કાર્યકર જીજ્ઞેશભાઈ કારેલીયા સન્માન સાથે આભાર વ્યક્ત કરેલ છે. તે બદલ મહિલા આઈટીઆઈ, 60 ફુટનો રોડ પર સેન મહારાજ ચોક ફાળવવાની મંજુરી આપેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy