રાજકોટ તા.27
ચૈત્ર વદ પાંચમને સોમવાર તા.29થી ચૈત્ર દનૈયાનો પ્રારંભ થશે જે ચૈત્ર વદ તેરસને સોમવાર તા.6/5 સુધી ચાલશે.
ચૈત્ર દનૈયા આઠ દિવસ ચાલે છે. ચૈત્ર દનૈયાનો ઉપયોગ ચોમાસાના વરસાદના વર્તારામાં કરવામાં આવે છે. આ એક પૌરાણિક આગાહીની પધ્ધતિ છે. આ દિવસો દરમ્યાન જેટલું આકાશ ચોખ્ખુ રહે અને જેટલી વધારે ગરમી પડે તેટલો વરસાદ સારો પડે છે.
અને માવઠું થાય વાદળછાયુ વાતાવરણ જે પ્રદેશમાં રહે તે પ્રદેશમાં વરસાદ ઓછો થાય છે.
ચોમાસાના ચાર મહિના હોય છે આમ ચૈત્રી દનૈયાના આઠ દિવસ એટલે કે એક દનૈયાના 15 દિવસ.
આમ જે દનૈયુ વધારે ગરમી રહે તે દિવસોમાં ચોમાસામાં વરસાદ સારો પડે છે એમ મનાય છે.
* શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંતરત્ન)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy