(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર0
આવનારી તારીખ:19,20 તથા 21/4/2024 ના રોજ શુક્રવાર થી રવિવાર સુધી થાનગઢ ના શ્રી જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ ખાતે પ.પૂ. શ્રી જોગ બાપુ ના આશ્રમ નો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રાજકોટ ના વિદ્વાન શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી યજ્ઞ ના આચાર્ય પદે રહેશે. ત્રી દિવસીય કાર્યક્રમ દરમિયાન હોમ, યજ્ઞ, નગરયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, શિખર કળશ પૂજન, ધ્વજ આરોહણ વિધિ, મહા આરતી, અખંડ રામધૂન, ભજન સંતવાણી, સંતો મહંતો ના આશીર્વચન, ભોજન પ્રસાદ વિગેરે નું આયોજન કરાયેલ છે.
તારીખ:21/4/2024 ને રવિવારે સંતો મહંતો ના સન્માન આશીર્વચન કાર્યક્રમ દરમિયાન દ્વારકા પીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજ, પ.પૂ. શ્રી કનિરામદાસજી મહારાજ, પ.પૂ. માં શ્રી કંકેશ્વરીજી, પ.પૂ. શ્રી રામબાલકદાસજી બાપુ, પ.પૂ. શ્રી શિવરામદાસ જી સાહેબ, પ.પૂ. શ્રી રાજેન્દ્રગીરી બાપુ (શ્રી વાસુકી મંદિર), પ.પૂ. શ્રી ભરતગીરી બાપુ(શ્રી વાસુકી મંદિર), પ.પૂ. શ્રી આલકુ બાપુ ભગત (શ્રી ગેબીનાથ મંદિર), પ.પૂ. શ્રી કિશોર બાપુ(શ્રી લાખા બાપુ ની જગ્યા), પ.પૂ. શ્રી દિલીપબાપુ ભગત(શ્રી જુના સૂરજ દેવળ) વિગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે. શ્રી જોગ ધ્યાન પુરા આશ્રમ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીશ્રી ઓ એ એક અખબારી યાદી દ્વારા આ ધર્મમય ત્રી દિવસીય કાર્યક્રમ નો ભકજનો એ લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy