રાજકોટ, તા.3
સૌરાષ્ટ્ર યુનિ.ના ઇલેકટ્રોનિક્સ ભવનના વડાએ સરકારથી ઉપરવટ જઇ ઓળખીતાને પ્રવેશ આપી દીધાની કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ફરિયાદ ઉઠાવી. આ મામલે તેઓએ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે હાલમાં સરકારના નિષ્ફળ મોડેલ જીસીએએસ મારફતે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના ભવનમાં વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. કુલસચિવ દર બીજા દિવસે નવા નવા પત્રો કરી અને પ્રવેશ સંબંધી સૂચનાઓ આપે છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ઇલેક્ટ્રોનિક્ ભવનના અધ્યક્ષ મહેશ જીવાણી માટે આ નિયમો લાગુ ના પડતા હોય તેમ તેમણે પોતાની રીતે મેરીટ બનાવી બીજા રાઉન્ડ માટે તા.6 થી 9 આપી દીધી છે.ખરેખર જીસીએએસ દ્વારા અપાયેલ ટાઇમ ટેબલ અનુસાર હાલ નવા ફોરમ ભરાવવાનો સમય ચાલે છે.
પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારો પાસે અરજીપત્રક મગાવવાના છે અને ત્યારબાદ આવેલ અરજીઓનું મેરીટ બનાવી અને બીજો રાઉન્ડ જાહેર કરવાનો છે. ઇલેકટ્રોનિક ભવનના અધ્યક્ષ મહેશ જીવાણી સૌરાષ્ટ્ર યુનિ.ના બનાવેલ અને જાહેર કરાયેલ નિયમોનો ઉલાળીયો કરતા હોય ત્યારે અન્ય ભવનોને આવી છૂટ આપવામાં આવશે તેવો પ્રશ્ર્ન ઉઠાવી જણાવ્યું છે કે ખરી? આ બાબતે પગલા લેવા માંગણી કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy