સુરેન્દ્રનગર ખાતે માઁ શક્તિ મંદિરના પ્રાંગણમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથનું સમાપન : ક્ષત્રિયોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના શપથ લીધા

Local | Surendaranagar | 27 April, 2024 | 12:38 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 27
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ધર્મ રથ સતત ત્રણ દિવસ જિલ્લાના ગામડે ગામડે ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રચાર પ્રસાર કરવા ધામાથી નીકળીને સુરેન્દ્રનગર શક્તિમાતાના મંદિરે પહોંચ્યો હતો. પાટડીના ઐતિહાસિક ધામાથી નીકળેલો ક્ષત્રિય સમાજનો ધર્મ રથ પાટડી, લખતર, ધ્રાંગધ્રા, હળવદ, થાન, ચોટીલા, મુળી, સાયલા, લીંબડી, વઢવાણ થઈને ત્રીજા દિવસે સુરેન્દ્રનગર શક્તિમાતાના મંદિરે પહોંચ્યો હતો. સુરેન્દ્રનગર ખાતે માં શક્તિ મંદિરના પ્રાંગણમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથના સમાપન પ્રસંગે માં શક્તિની સાક્ષીએ હજારો માતાઓ, બહેનો, ભાઈઓએ ભારતીય જનતા પાર્ટી - બીજેપીને મત નહિ આપવાના શપથ લીધા હતા.

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ રોસે ભરાયેલા ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગામે ગામ ઉગ્ર આંદોલનની શરૂઆત કરી હતી. પરંતુ ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના બદલે એમને જ ઉમેદવાર જાહેર કરતા ગુજરાતના ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી હતી.

જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ધર્મ રથ સતત ત્રણ દિવસ જિલ્લાના ગામડે ગામડે ફરી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા પ્રચાર પ્રસાર કરવા ધામાથી નીકળીને સુરેન્દ્રનગર શક્તિમાતાના મંદિરે પહોંચ્યો હતો. સુરેન્દ્રનગર ખાતે માં શક્તિ મંદિરના પ્રાંગણમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથના સમાપન પ્રસંગે માં શક્તિની સાક્ષીએ હજારો માતાઓ, બહેનો, ભાઈઓએ ભારતીય જનતા પાર્ટી - બીજેપીને મત નહિ આપવાના શપથ લીધા હતા.

સ્વાગત કરાયું
સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફ મિયા બાપુ ની આગેવાની હેઠળ ક્ષત્રિય સમાજના રથને સન્માન કરી અને મુસ્લિમ સમાજ પણ શત્રિય સાથે રહ્યો હોવાનું જણાવ્યું તમામ મુસ્લિમ ગ્રુપ મેમબર્સ ને જણાવવાનું કે ક્ષત્રિય સમાજ દ્રારા ઝાલાવાડ ક્ષત્રીય સમાજની યાત્રાને માન આપવા ટાવર ચૌક વિસ્તારમા ફુલની પાંદળી થી સ્વાગત માટે મુસ્લિમ સમાજની શાન અને એકતા બતાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પિરે તરીકત હાજી સૈયદ યુસુફબાપુના નિવાસ્થાન ખાતે મુસ્લિમ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે ક્ષત્રિય સમાજનો રથ પ્રસ્થાન થયો ત્યારે તેનું મુસ્લિમ સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં હાજી સૈયદ ઈરફાન બાપુ ઉર્ફે દાદા બાપુ તેમજ અનેક મુસ્લિમ સમાજના આગેવાનો પણ ખાસ હાજરી આપી અને ક્ષત્રિય સમાજ સાથે હોવાનું જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj