રાજકોટ, તા.16
શિવ હી જીવ, જીવ હી શિવ, શિવ મહાપુરાણ કથાનું ગોંડલ, મોટા દડવાના ધીંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ સંત શ્રી આનંદદાસજી બાપુની પ્રેરણાથી આ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શિવ મહાપુરાણ કથાના વક્તા પૂજ્ય શ્રી ગિરિબાપૂના મુખે ભક્તોએ શિવ મહિમા કથા સાંભળી હતી.
આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહીતના મહાનુભાવો કથા દરમિયાન દર્શનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં નવે નવ દિવસ છાસ, દૂધ અને ઘોરવાના દાતા ગોપાલભાઈ ભીખાભાઈ ડાંગર અને જયદીપભાઈ લાભભાઈ ડાંગરની સેવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કથાને પૂજ્ય મોરારી બાપુ અને ગુજરાત રાજ્યના મહા મહિમા રાજ્યપાલ દેવવ્રતજીએ શુભેચ્છા સંદેશ પણ આપ્યો હતો. કથા દરમિયાન રોજ રાત્રે સંતવાણી અને લોક ડાયરોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસની કથા દરમિયાન લાખો શિવભક્તો શિવ ભક્તમાં લિન થયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy