નવી દિલ્હી : દેશભરમાં બેંકોની કામગીરીને લઈને ફરિયાદો વધી છે. જે મુદ્દાઓ પર ગ્રાહકો ફરિયાદ કરી રહ્યાં છે તે ક્રેડિટ કાર્ડ, બેંક ગેરંટી પત્રો, સીકયોરીટી, મૃત્યુ પછીના દાવાની સમયસર પતાવટ અને બેંક કર્મચારીઓની વર્તણૂક સાથે સંબંધિત છે.
ફરિયાદોના સમયસર નિકાલ માટે ડિસેમ્બર 2023થી મે 2024 સુધીમાં બેંકો પર 22.83 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2024ની વચ્ચે બેંકોની કામગીરીને લઈને 74,584 ફરિયાદો મળી છે. જ્યારે અગાઉના ક્વાર્ટરમાં 72,847 ફરિયાદો મળી હતી.
આ વર્ષના માર્ચ ક્વાર્ટરમાં ક્રેડિટ કાર્ડને લઈને 10,145 ફરિયાદો મળી હતી, જ્યારે અગાઉના ક્વાર્ટરમાં 9635 ફરિયાદો મળી હતી.ગ્રાહક ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર અથવા દંડ વધારવા અંગે ખૂબ જ ચિંતિત છે. માર્ચ ક્વાર્ટરમાં 24,121 ફરિયાદો મળી હતી, જે અગાઉના ક્વાર્ટરમાં 18,180 હતી.
સહકારી બેંકોમાં વધુ નિયમોની અવગણના
આરબીઆઈના દંડ પર નજર કરીએ તો સહકારી બેંકો સૌથી વધુ નિયમોનો ભંગ કરી રહી છે. જે 161 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે તેમાંથી 132 સહકારી બેંકોના છે. તેઓ યોગ્ય બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડતા નથી.
ગ્રાહકોની અન્ય કેટેગરીની ફરિયાદોમાં સમયસર બેંક ગેરંટી પત્રો જારી ન કરવા, ગ્રાહકની ગુપ્તતાનો ભંગ, મૃત્યુ પછી નોમિનીના ખાતામાં નાણાં ટ્રાન્સફર ન કરવા અને બેંક કર્મચારીઓને લગતી ફરિયાદોનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy