કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કાલે રાજકોટ આવશે: ખોડલધામથી ચોટીલા સુધી ડઝન ધાર્મિક સ્થાનોએ દર્શન કરશે

Saurashtra, Politics | Rajkot | 15 April, 2024 | 05:02 PM
રાજકોટમાં પ્રવેશ વખતે સ્વાગત કરાશે: નેતાઓ-આગેવાનો જોડાશે: 19મી એ ફોર્મ ભરશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.15
રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલાને ટિકિટ ફાળવાયા બાદ તેમની સામે ક્ષત્રિય સમાજનો જબરો વિરોધ ઉઠતા કોંગ્રેસ મોવડી મંડળે રૂપાલા સામે દિગ્ગજ આગેવાન પરેશ ધાનાણીને લડાવવા નિર્ણય લઈ રાજકોટ લોકસભાની બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ ફાળવતા આ બેઠક હવે રસાકસી જોવા મળશે.રાજકોટ બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી પરેશ ધાનાણી જાહેર થતાં જ તેઓ કાલે રાજકોટ આવતા વાજતે ગાજતે શાહી છબે સ્વાગત કરવામાં આવશે.

પરેશ ધાનાણી આવતીકાલે તા.16નાં રોજ બપોરે કાગવડ ખોડલધામ ખાતે બપોરે 3 કલાકે માતા ખોડીયારનાં આશીર્વાદ લઈ ચૂંટણી જંગના એલાનના શ્રી ગણેશ સાથે આગળ વધશે ખોડલધામ બાદ વિરપુર જલારામ મંદિર, દર્શન કરી રાજકોટ પધારતા વાજતે-ગાજતે કોંગ્રેસ આગેવાનો કાર્યકરો સ્વાગત કરશે. રાજકોટમાં રામનાથ મહાદેવ દર્શન બાદ પેલેસ રોડ આશાપુરા માતાજી મંદિર દર્શન, વિશ્ર્વકર્મા મંદિરનાં દર્શન વિશ્ર્વકર્મા મદિરના દર્શન બાદ વાંકાનેર ઉર્ષમાં હાજરી આપી વેલનાથ બાપુ માંધાતા બાપુ મંદિર થઈ પરત રાત્રે રાજકોટમાં રણછોડદાય બાપુ આશ્રમ, ગેબનશા પીર, જંકશન પ્લોટ, ડો.આબેડકર પ્રતિમા (હોસ્પિટલ ચોક), બાલાજી મંદિર (રાજેશ્ર્વરી ટોકીઝ)ના દર્શન કર્યા બાદ રાત્રે 10 કલાકે સ્વામી નારાયણ મંદિરમાં દર્શન કરી 10:45 કલાકે ચોટીલા પહોચશે.પરેશ ધાનાણી તા.17ને બુધવારે સવારે પોપટપરા, રામમંદિર, જુલેલાલ મંદિર, રાણીમા રૂડીમાં મંદિર, કબા ગાંધીનો ડેલો, બહુમાળી ભવન સરદાર પ્રતિમાને પુષ્પાંજલી બાદ રેસકોર્ષ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને મળશે. બપોરે બે કલાકે પડધરી ટંકારા, થોરાળા સાંજે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે હવેલીના દર્શન રાત્રે મવડી દેવાયત બોહર બાદ નાગર બોર્ડિંગમાં કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે તા.19મીએ ફોર્મ ભરશે.

► અહંકાર ઓગાળો નહી તો સ્વાભિમાન યુદ્ધનાં શંખનાદ થશે: રૂપાલાને ધાનાણીનું અલ્ટીમેટમ
 ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા મામલે હવે મેદાને આવી ગયા છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં યોજાયેલા સંમેલન બાદ હવે આક્રોશની આગ વધુ ફેલાઈ રહી છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા અને રાજકોટ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ટ્વીટમાં કવિતા લખી રૂપાલા પર પોતાના શાબ્દિક પ્રહારો કર્યા હતા. આજે ફરી ક્ષત્રિય અસ્મિતા સંમેલન બાદ તેમણે એક ટ્વીટ કર્યું હતું.

રાજકોટમાં ગઈકાલે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની ટ્વીટમાં એક કવિતાની પંક્તિઓ દ્વારા ક્ષત્રિયાણી આક્રોશની આગને વધારે વિકરાળ રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને રૂપાલા પર પ્રહાર કરતા કહ્યું કે, તમારે તમારું અહંકાર ઓગાળવું છે કે પછી મને આ ચૂંટણી જીતાડવી છે. 16 એપ્રિલની સવાર સુધીમાં તમે તમારો નિર્ણય નહિ બદલો અને તમારો અહંકાર નહિ ઓગાળો તો 16 તારીખે બપોરથી અમે કુળદેવીને શીશ ઝુકાવી સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરીશું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj