જામનગર તા.15
જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ જે.પી.મારવિયાએ આજે વાજતે ગાજતે પોતાનું ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું.
જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસે જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને જાણીતા રાજકીય પાટીદાર અગ્રણી વકીલ જે.પી.મારવિયાને ટીકિટ આપી છે. આજે બપોરે 12:45 કલાકે તેઓએ સ્થાનિક અગ્રણીઓને સાથે રાખી પોતાનું ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું.
ઉમેદવારીપત્ર રજૂ કરતાં પહેલાં જામનગરમાં રણજીતનગર પટેલ સમાજ ચોક પાસે આવેલ ખીજડા મંદિરની વાડી ખાતે એક કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, પ્રદેશ કોંગ્રેસના નેતા ભીખુભાઇ વારોતરિયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઇ ખવા, કાલાવડના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતા અલ્તાફ ખફી, કોંગી અગ્રણી ભરતભાઇ વાળા, કોર્પોરેટર નૂરમામદ પલેજા, જૈનબબેન ખફી તથા કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સરદાર પટેલની પ્રતિમાની હારતોરા કર્યા બાદ બેઠક શરૂ થઇ હતી. બાદમાં પાંચ નેતાઓને સાથે રાખી મારવિયાએ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy