રાજકોટ, તા. 23
સુરત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ પક્ષ હવે ચૂંટણી પંચમાં ગઇ છે અને સુરત બેઠક પર નવેસરથી ચૂંટણી યોજવાની માંગણી કરી છે. જોકે ગઇકાલે જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા અને આ રીતે સુરત લોકસભા બેઠકને વાગેવળગે છે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિય પૂરી થઇ ગઇ છે.
પરંતુ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું અને તેઓએ સુરતમાં ચૂંટણીમાં જે રીતે તેમના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને ડમીનું ફોર્મના તે જ હાલ થયા તે પછી ચૂંટણી અધિકારીઓ તેમને સાંભળવા માટે અને ટેકેદારો મુદે જે વિવાદ હતો તેમાં ટેકેદારનું અપહરણ થયા હોવાનું તેઓને હાજર કરી શકાયા ન હતા તેવું જણાવ્યું હતું.
કોંગ્રેસના પ્રવ્રકતા અને ધારાશાસ્ત્રી અભિષેક મનુસીંઘવીના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી કમિશનરને મળ્યું હતું અને ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરીને નવેસરથી ચૂંટણી જાહેરનામુ બહાર પડે તે જોવા માંગણી કરી હતી.
આ ચૂંટણી પીટીશનનો મામલો નથી પરંતુ ટેકેદારોની સહીનો વિવાદ છે પરંતુ તેમાં કોઇ ચકાસણી થઇ ન હતી અને અમારા ઉમેદવારનું નોમીનેશન રદ થાય તે જ રીતે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે ચૂંટણી પંચે આ અંગે હજુ કોઇ જવાબ આપ્યો ન હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy