ગિરનાર ભવનાથ તિર્થક્ષેત્રને પ્લાસ્ટિક મુકતનાં બદલે યાત્રિકમુકત બનાવવાનું કાવતરૂ: મહંત તનસુખગીરી બાપુ

Local | Junagadh | 24 April, 2024 | 02:20 PM
હાઈકોર્ટના આદેશ-ગેજેટનું ખોટુ અર્થઘટન: ઈકો સેન્સેટીવ ઝોન જાહેર થવામાં કયાંય પ્લાસ્ટિક પર પ્રતિબંધની વાત નથી, માત્ર નિકાલની તાકીદ
સાંજ સમાચાર

જૂનાગઢ,તા.24
તંત્ર દ્વારા ભવનાથને ઈકો સેન્સેટિવ ઝોન ની કડક અમલવારી ના ભાગરૂપે ભવનાથમાં પ્લાસ્ટિકને અટકાવવા માટે ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તેને લઈને વિવાદ સર્જાતાં તંત્ર દ્વારા હાઇકોર્ટનાં આદેશનું અને ગેજેટ નું ખોટું અર્થઘટન કરી રહ્યું છે. તેમજ ભવનાથમાં વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આ વિસ્તાર ઇકો સેન્સેટીવ ઝોન માં આવતો હોય તેની અમલવારી ના નામે પ્લાસ્ટિકમુક્ત ગિરનારનું સૂત્ર લાગુ કરીને ભવનાથને યાત્રિકો મુક્ત કરવાનું કારસ્તાન ચલાવી રહેતા હોવાનો આક્ષેપ અંબાજી મંદિરના મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ કર્યો છે.

ભવનાથ વિસ્તાર ને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન જે ચાલી રહ્યું છે, તે આ વિસ્તારમાં આવતા યાત્રિકો માટે દુ:ખદ છે. ભારત સરકારનું ગેજેટ વર્ષ 2012માં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તાર ને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કર્યો છે. તેમાં ક્યાંય પ્લાસ્ટિક પર પ્રતિબંધ ની વાત નથી માત્ર પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત હાઇકોર્ટનો હુકમ પણ યોગ્ય રીતે સમજવાની જરૂર છે.

તેમાં જો આવો આદેશ હોય તો સરકાર વતી હાઈકોર્ટનું માર્ગદર્શન માગવું જોઈએ કે પ્લાસ્ટિક મુક્ત એટલે કોઈપણ વસ્તુ ન લઇ જવી કે પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવો? આ બાબતે તંત્ર જે અમલવારી શરૂ કરી છે તેનાથી એવું લાગી રહ્યું છે, કે આવનારા સમયમાં ભવનાથ પ્લાસ્ટિક મુક્ત નહિ પરંતુ યાત્રિકો મુક્ત બની જશે. આ મામલે સરકારે યોગ્ય માર્ગદર્શન સાથે અમલવારી કરાવવી જોઈએ.

બાપુએ વધુમા જણાવ્યુ કે, સરકારે અને પ્રશાસને ગિરનાર અને ભવનાથ ની યાત્રાએ આવતા યાત્રીઓ માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી, બેસવા માટેના કે બાંકડા અને ટોયલેટ બ્લોક વગેરેનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરતાં પહેલાં ગિરનારની યાત્રાએ આવતા યાત્રીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની ખાસ જરૂરિયાત છે.

પીવાનું પાણી પણ જો ઉપર ન મળતું હોય એ આપણા માટે શરમજનક બાબત કહેવાય.

તંત્ર દ્વારા યોગ્ય અમલવારી કરવામાં નહિં આવે તો આવનારા સમયમાં સનાતન ધર્મ સાથે સંકળાયેલા તમામ સંતો મેદાનમાં ઉતરશે. કારણ કે યાત્રિકો ભવન્ત: તીર્થક્ષેત્રની શાન છે. જેથી તેમને થતી કનડગત એ ધર્મ સાથે છેડછાડ જેવી છે. માટે તંત્ર યોગ્ય નિર્ણય નહીં કરે તો સંત સમાજ મેદાનમાં ઉતરશે અને આંદોલન કરતાં પણ અચકાશે નહીં. જેની જવાબદારી વહીવટી તંત્રની અને સરકારની બની રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj