RAJKOT : મવડી હેડ ક્વાર્ટરમાં દસમા માળેથી પડતું મૂકી કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરનો આપઘાત

Local | Rajkot | 24 April, 2024 | 03:47 PM
♦ રાજકોટ રૂરલ પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતા ભાર્ગવના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા : આત્મહત્યા શા માટે કરી ? પોલીસની તપાસ
સાંજ સમાચાર

♦ મૃતક કોન્સ્ટેબલ રાજકોટ શહેર એલસીબી ઝોન- 2ના પીએસઆઇ બી.વી. બોરીસાગરના ભત્રીજા થાય, બનાવથી પરિવાર સ્તબ્ધ

રાજકોટ, તા.24
મવડી હેડ ક્વાર્ટરમાં દસમા માળેથી પડતું મૂકી કોન્સ્ટેબલ ભાર્ગવ કમલેશભાઈ બોરીસાગર (ઉ.વ.23)એ આપઘાત કરી લેતા પોલીસ બેડાંમાં ચકચાર મચી ગઇ છે. રાજકોટ રૂરલ પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતા ભાર્ગવના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. આત્મહત્યા શા માટે કરી? પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક કોન્સ્ટેબલ રાજકોટ શહેર એલસીબી ઝોન - 2ના પીએસઆઇ બી.વી. બોરીસાગરના ભત્રીજા થાય છે. બનાવથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. આ પગલું કેમ ભરી લીધું તેની પરિવારને પણ જાણ નથી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસનું હેડ કવાર્ટર રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ છે. આજે સવારે ત્યાં એક યુવાને બહુમાળી ગિરનાર તરીકે ઓળખાતા ક્વાર્ટરના દસમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ પરિવારમાં જાણ થતાં કોઈએ જઈને જોયું તો આ યુવાન બીજું કોઈ નહીં પણ રાજકોટ એસપી કચેરી ખાતે રીડર શાખામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર ભાર્ગવ બોરીસાગર હતો.

સૂત્રોએ જણાવ્યું કે, હાલ શહેરમાં આપઘાતના બનાવો બની રહ્યા છે ત્યારે, રૂરલ પોલીસની રીડર બ્રાંચમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મી ભાર્ગવ કમલેશભાઈ બોરીસાગર (ઉ.વ. 23) (રહે.માધાપર ચોકડી)એ આ પગલું ભરતા પોલીસ બેડાંમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ભાર્ગવ રાજકોટ શહેર પોલીસમાં એલસીબી ઝોન 2 પીએસઆઇ બી.વી. બોરીસાગરનો ભત્રીજો હોય, પીએસઆઇ બી.વી. બોરીસાગર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. અત્રે પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ પરિવારના સભ્યો પણ બનાવથી સ્તબ્ધ થઈ ગયા હતા.

આ હેડ કવાર્ટર તાલુકા પોલીસ મથકની હદમાં આવતો હોય, તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી ગયો હતો. 108ને જાણ કરાતા સ્થળ પર જ ભાર્ગવને મૃત જાહેર કરાયો છે. તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી પૂછપરછ કરતા ભાર્ગવ અહીં શા માટે આવ્યો હતો એ જાણકારી મળી નથી. આપઘાતનું કારણ પણ જાણવા મળેલ નથી.

જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક એક ભાઈ, એક બેનમાં મોટો હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. તેનું મૂળ ગામ જેતપુર છે. તેણે જેતપુરમાં પણ ફરજ બજાવી છે. તેમના પિતા કમલેશભાઈ જેતપુરમાં સારંગના પુલે મહાદેવ ઘૂઘરા નામે વેપાર કરે છે. બહેને એકનો એક ભાઈ અને નવોઢાએ સેથાનું સિંદૂર ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે.

2018-19માં લોકરક્ષક તરીકે ભરતી થઈ હતી
મૃતક ભાર્ગવને પ્રથમથી જ પોલીસ ફોર્સમાં જોડાઈ દેશ -સમાજની સેવા કરવાનો ભારે શોખ હતો. મહેનત કરી પોલીસમાં ભરતી પણ થયો. વર્ષ 2018-19માં લોકરક્ષક તરીકે ભરતી થઈ હતી. જે ઓછી રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફરજ બજાવી હતી. જે પછી દોઢ વર્ષ પહેલાં જ એસપી કચેરી રાજકોટની રીડર શાખામાં બદલી થઈ હતી. અહીં તે માધાપર ચોકડી ખાતે પોતાના માસા સાથે રહેતો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj