રાજકોટ, તા. 8
જામનગર રોડ પરથી પ્રવેશદ્વાર જેવા સાંઢીયા પુલને તોડવા માટેની કામગીરીના હજુ કોઇ ઠેકાણા નથી ત્યારે હવે થોડા દિવસો બાદ પુલ તોડવાનું કામ શરૂ થઇ શકે છે. આ પુલ તોડવા હવે અરજી કરીને રેલ્વે તંત્રની મંજુરી માંગવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોમાંથી મળતી વિગત મુજબ સાંઢીયા પુલ તોડીને નવો બનાવવા માટેનું ખાતમુહૂર્ત લોકસભાની ચૂંટણી જાહેર થતા પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ચૂંટણીના દિવસોમાં જ આ પુલ તોડવાનું કામ શરૂ થશે તેવું લાગતું હતું પરંતુ પુલ તોડવા માટે મનપાએ અરજી જ નહીં કર્યાની વિગતો ધ્યાન પર આવી હતી. આ બાદ તાજેતરમાં રાજકોટ રેલ્વે ડિવીઝનમાં ડિમોલીશનના ડ્રોઇંગ સાથેની વિસ્તૃત અરજી કરવામાં આવી છે. આ છ દાયકા જુનો બ્રીજ કઇ રીતે તોડવામાં આવશે અને કેટલો સમય કામ ચાલશે તેની વિગતો આ સાથે જોડવામાં આવી છે.
છેલ્લી અરજી પરથી ચાલુ મહિનના અંત સુધીમાં પુલ તોડવાની મંજુરી મળી જાય તેવી આશા છે. આમ પણ આ પુલના બદલામાં શરૂ થનારા રસ્તે ડાયવર્ઝનનું કામ હજુ ચાલી રહ્યું છે. આ કામ પણ થોડા દિવસોમાં પુરૂ થશે તેવું ઇજનેરો કહે છે. આ અરજી મંજુર થતા કામ શરૂ થઇ જશે.
63 કરોડના ખર્ચે આ જગ્યાએ નવો ફોરલેન ફલાયઓવર બનવાનો છે. જોકે સંપૂર્ણ પ્રોજેકટ પુરો થવામાં ઓછામાં ઓછો બે વર્ષ જેટલો સમય થશે. આથી આ પુલના કામમાં ઓછામાં ઓછા બે ચોમાસા નીકળી જશે તે નકકી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy