વેરાવળ, તા. 20
આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત કલેક્ટર કચેરી ઈણાજ ખાતે કાર્યરત સી-વીજીલ કંટ્રોલરૂમની ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાએ મુલાકાત લીધી હતી.
જિલ્લામાં લોકસભા ચૂંટણી અન્વયે આચારસંહિતા અમલી છે. ત્યારે આ આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિરાકરણ માટે સી-વિજીલ કંટ્રોલરૂમ કલેકટર કચેરી ઈણાજ ખાતે કાર્યરત કરાયો છે.
ખર્ચ ઓબ્ઝર્વર રજત દત્તા ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. ત્યારે તેમણે સી-વિજીલ કંટ્રોલરૂમની મુલાકાત લઈ કામગીરીનુ ઝીણવટભર્યું નીરિક્ષણ કરવાની સાથે ફરજ પરના અધિકારી-કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરેલ ગાઈડલાઈન અનુસાર કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, અધિક કલેકટર આર.જી.આલ, સી-વિજીલ નોડલ અને કાર્યપાલક ઈજનેર એ. પી. કલસરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy