રાજકોટ,તા.19
કુવાડવા રોડ ઉપર પારેવડી ચોક ખાતે રહેતા ફરિયાદી પ્રશાંતભાઈ ભીખાભાઈ ચૌહાણએ બેડીપરામાં રહેતા આરોપી ભાવિનભાઈ વલજીભાઈ ચૌહાણ સામે રાજકોટની કોર્ટમાં વર્ષ 2020માં એ મતલબની ફરીયાદ કરેલ કે, આરોપી તેમના કાકાના દિકરાભાઈ થાય છે અને તેમને સંબંધના દાવે કટકે કટકે રૂ।,50,000 હાથ ઉછીના રકમ પરત માંગતા આરોપીએ રૂ।,50,000નો ચેક આપેલ જે ચેક અપુરતા ભંડોળના કારણે વગર વસુલાતે પરત ફરેલ આરોપી સામે સમન્સ ઈસ્યુ થતાં આરોપી પોતાના વકીલ મારફતે અદાલતમાં હાજર થયેલ કેસ ચાલવા ઉપર આવતા આરોપીના એડવોકેટ દ્વારા કોર્ટમાં મૌખીક રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદી અદાલતમાં જુબાની આપવા હાજર રહેતા નથી. કોર્ટ તથા પક્ષકારો, વકીલોનો સમય વ્યય થઈ રહેલ છે,
ઉપરાંત ફરીયાદી ઉપર ચેક રીટર્નની ફરીયાદો પણ થયેલ છે. અને જેમાં તેને સજા પણ થયેલ છે. અને તેમાં પણ તે ભાગતા ફરે છે. જેથી હાલની ફરીયાદ રદ કરવા માંગણી કરવામાં આવેલ.જે દલીલો ધ્યાને લઈ અદાલત દ્વારા ફરીયાદ કાઢી નાખવામાં આવેલ અને આરોપી ભાવિનભાઈ વાલજીભાઈ ચૌહાણને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ હતાં.
આ કેસમાં આરોપી વતી યુવા લો એસોસીએટના એડવોકેટ હેમાંસુ પારેખ, કિરીટ નકુમ, કુલદીપ ચૌહાણ, હિમાંશુ હિરાણી, યશપાલ ચૌહાણ, શીતલ રાઠોડ, નીધી રાયચુરા, અંકીત જાવીયા તથા લો આસીસ્ટન્ટ તરીકે જીજ્ઞેશ ચૌહાણ, દિવ્યરાજ ચાવડા રોકાયેલા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy