વારસા સર્ટીની સાસુ-વહુ વચ્ચેની તકરારમાં દાવાની અપીલ ફગાવતી સેશન્સ અદાલત

Crime | Rajkot | 19 April, 2024 | 04:47 PM
મિલ્કતના માલિક ભાવેશભાઈ જાદવનું મૃત્યુ બાદ મૃતકના માતા અને પત્નીના નામે સંયુકત વારસા સર્ટી કાઢવા સિવિલ કોર્ટે હુકમ કર્યો હતો
સાંજ સમાચાર

 રાજકોટ,તા.17

વારસા સર્ટી મેળવવાની દીવાની તકરારમાં સિવિલ કોર્ટ સાસુ-વહુના નામે સંયુકતમાં વારસા સર્ટી કાઢવા હુકમ કરેલો, જેની સામે થયેલી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.મનહર પ્લોટમાં આવેલ ઓર્ચિડ બિલ્ડીંગમાં આવેલ દુકાન તથા 150 ફુટ રીંગ રોડ પર આવેલ ગોકુલ મથુરામાં આવેલ ફલેટ સંબંધે કરવામાં આવેલ અપીલ રદ કરતી રાજકોટની એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટ.ગુજરનાર કિંમતી મિલ્કતો સંબંધે કરવામાં આવેલ અપીલ રદ કરતી રાજકોટની એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ અદાલત (ગુજરનારની મિલ્કતમાં પત્નીનો હિસ્સો પણ રહેલો છે.)

ગુજરનારની મિલ્કતમાં ગુજરનારના વિધવા પત્નીના કાયદેસરનો હકક, હિત, હિસ્સો રદ કરાવવા સંબંધે થયેલ અપીલ રદ કરતી રાજકોટની એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ અદાલત (પત્ની ગુજ.પતિની મિલ્કતોમાં હિસ્સો મેળવવા અધિકાર કરાવે છે.) આ કેસની વિગત મુજબ, ભાવેશભાઈ નારણભાઈ જાદવના મૃત્યુ બાદ તેમના માતા મંજુલાબેન દ્વારા તેઓની રાજકોટ શહેરમાં આવેલી મિલ્કતો જેવી કે મનહર પ્લોટ વિસ્તારમાં આવેલ ઓર્ચિડ બિલ્ડીંગમાં આવેલ દુકાન તેમજ રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલ ગોકુલ મથુરા નામના બિલ્ડીંગમાં આવેલ ફલેટ સંબંધે ગુજરનાર ભાવેશભાઈના 50 ટકા હિસ્સા સંબંધે વારસા સર્ટીફિકેટ મેળવવાની અરજી કરવામાં આવેલ જે અરજી સીવીલ કોર્ટ સમક્ષ દાખલ થતા ગુજરનારના અન્ય વારસોમાં તેમના પત્ની ડો. 2શ્મીબેન ભાવેશભાઈ જાદવને સીવીલ કોર્ટ દ્વારા નોટિસ થતા તેમના એડવોકેટ મારફત હાજર થઈ

વાંધા રજૂ રાખેલ સીવીલ કોર્ટ દ્વારા સંયુકત નામે વારસા સટીફિકેટ ઈસ્યુ કરવાનો હુકમ કરેલ હુકમ વિરૂદ્ધ અરજદાર મંજુલાબેન દ્વારા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર દિવાની અપીલ દાખલ કરી સીવીલ કોર્ટનો હુકમ રદ કરવા સંબંધેની દાદ માંગેલ એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે બંને પક્ષકારોને વિસ્તૃત રીતે સાંભળી હિન્દુ વારસા ધારાની જોગવાઈને ધ્યાને લઈ ગુજરનારની મિલ્કતમાં ગુજરનારાના પત્નીનો પણ કાયદેસરનો હકક રહેલો છે. તેવો સીવીલ કોર્ટનો હુકમ ક્ધફર્મ રાખી મંજુલાબેનની અપીલ રદ કરતો હુકમ ફરમાવેલ છે આકેસમાં ડો. રશ્મીબેન વતી એડવોકેટ આનંદબી જોષી જતીન વી.ઠકકર, હિત આર.અવલાણી, સંદિપ ડી.પાનસુરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતાં. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj