(મિલાપ રૂપારેલ દ્વારા) તા.17
બગસરા અને લીલીયાની મંડળી માંથી બાકી દારોનાં ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે સજા ફટકારી છે. તાજેતરમાં અમરેલીના રહેવાસી નરેશભાઈ ગીરધરભાઈ વિસાણી અનેક સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ રકમ ભરતાં ન હોય અમરેલીની બગસરા ના.શ.સ.મં.લી. માંથી રૂા.1,00,000 /- નું ધિરાણ લઈ રકમ ન ભરતાં હોય મંડળીની વિનંતી બાદ આરોપીએ આપેલ ચેક પરત ફરતાં પુરાવાના અંતે આરોપીને અમરેલીના ત્રીજા એડી. સીનીયર સીવીલ જજ અને એડી. ચીફ જયું. મેજી.એ એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની કુલ રકમ રૂા. 1,00,193 9% ના વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે.
લીલીયા મોટા ક્રિષ્ના કેડીટ કો. ઓપરેટીવ સોસાયટીમાં ધીરાણ મેળવી હપ્તા નહી ભરતા બાકીદાર વજુભાઈ લાલજીભાઈ મકવાણા રે. લીલયાનો ચેક રૂા. 1,પ3,313/- નો ધીરાણની રકમ તથા તેખ પર વ્યાજ ગણી આપેલ ચેક રીર્ટન થતા લીલીયા મોટા ક્રિષ્ના કેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના માનદ મેનેજર જીતેન્દ્ર ડી. પાઠકે આ બાકીદાર સામે મંડળીના લીગલ એડવાઈઝર કિશોરભાઈ પાઠક મારફત લીલીયા કોર્ટમાં ફોજદારી ફરીયાદ કેસ નં પપ1/ર0ર3નો દાખલ કરેલ છે અને કેસ ચાલી જતા અદાલત દ્વારા વજુભાઈ લાલજીભાઈ મકવાણાને બે વર્ષની સજા કરવામા આવેલ અને ચેક રૂા. 1,પ3,313 તથા તે પરનુ વ્યાજ સંસ્થાને વળતર ચુકવવા આદેશ કરેલ. સજા ભોગવવા લીલીયાના પ્રિન્સીપાલ સિવલ જજ અને જડયુડીશ્યલ મેજીસ્ટ્રેટ હુકમ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy