રાજકોટ તા.19
ગઈકાલે પોલીસ કમિશ્ર્નરના જાહેરનામા અને વિવિધ કાયદાકીય સમજ માટે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સ્પા સંચાલકોની બેઠક બોલાવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
એસઓજી વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્ર્નર વિધી ચૌધરીની સુચના અન્વયે રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ તમામ સ્પા સેન્ટરોમાં કામ કરતા કર્મચારીઓની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની હોય જે અનુસંધાને પોલીસ કમિશ્ર્નરના જાહેરનામાની ચુસ્તપણે અમલવારી થાય તેવી સુચના આપવામાં આવેલ છે.
જે સબંધે ગઈકાલે રાજકોટ શહેર એસઓજી શાખા ખાતે ડીસીપી (ક્રાઈમ અને સ્પેશ્યલ બ્રાન્ચ) ડો. પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શહેરમાં સંચાલીત તમામ સ્પા સેન્ટરોના માલીકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગ દરમિયાન તમામ સ્પા સંચાલકોને પોતાના સ્પામાં કામ કરતા તમામ કર્મચારીઓની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં સમયસર કરાવવા સુચનાઓ આપવામાં આવી હતી. પોતાના સ્પામાં ડ્રગ્સને લગત તથા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તે માટે તકેદારી રાખવા સુચના આપી હતી.
આવી પ્રવૃતિઓ વિરૂધ્ધની વિવિધ કાયદાકીય જોગવાઈ અંગે સમજ કરવામાં આવી હતી. આ તકે એસઓજી પીઆઈ જે.એમ. કૈલા, એએચટીયુ પીઆઈ કે.જે. કરપડા, એસઓજી પીએસઆઈ ડી.પી. ગોહેલ, એસઓજીનો સ્ટાફ તેમજ આ સંચાલકે ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy