જલારામ મંદિર ગ્રીનફર્ડ, લંડન, યુ.કે. અને ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.9 ને ગુરૂવારના રોજ નિ:શુલ્ક દંત યજ્ઞ અને દાંતની બત્રીસીના કેમ્પનું સવારે 10 થી 1 દરમિયાન જલારામ મંદિર, મુખ્ય બજાર ચરખડી તા.ગોંડલ ખાતે આયોજન કરવામાં.આવ્યું છે.
આ કેમ્પ લલીતાબેન અને તુલસીદાસ કોટેચાની પુણ્ય સ્મૃતિમાં કોટેચા પરિવારના સહયોગથી યોજાશે. આ કેમ્પ માં રાજકોટના દાંતના રોગોના નિષ્ણાંત ડો.જયસુખભાઈ મકવાણા અને સહયોગી મોનિકા ભટ્ટ અને જાગૃતિ ચૌહાણ, રાજુભાઈ વરિયા સેવા આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy