(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. 17 ધોરાજીના ભુપતભાઇ વઘાસીયાનું અવસાન થતા ચક્ષુદાન કરાયું હતું. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને આ રપ3મું ચક્ષુદાન મળ્યું છે. ધોરાજીના ભુપતભાઇ દેવશીભાઇ વઘાસીયાનું અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વસેટીયન, સેવાભાવી ડો. રાજ બેરા અને મેડીકલ ટીમના રોહિત સોંદરવા સહિતનાઓએ સરકારી હોસ્પિટલ ખાતે ચક્ષુદાન પ્રક્રિયા કરેલ હતી. આ તકે ચંદુભાઇ વઘાસીયા, મૌલીક વઘાસીયા, કેવલ વઘાસીયા, પ્રતિક વઘાસીયા, રાજુભાઇ વઘાસીયા, કિશોરભાઇ વઘાસીયા, દિનેશભાઇ વઘાસીયા સહિતના હાજર રહેલ હતા.આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ વઘાસીયા પરિવારની સેવાઓને બિરદાવી સ્વ. ભુપતભાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને આ રપ3મું ચક્ષુદાન મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy