ધોરાજી, તા. 24
ધોરાજીના રાજ મોટરવાળા વિનુભાઇ રાદડીયાના માતુશ્રી ધોરીબેન ધરમશીભાઇ રાદડીયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો.જયેશ વેેસેટીયન, ડો. અંટાળા અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર, નીતીન સાગઠીયા અને દિનેશભાઇ ચુડાસમાએ પોતાની સેવાઓ બજાવી હતી.
આ તકે પરિવારજનો વિનુભાઇ રાદડીયા, વિઠ્ઠલભાઇ રાદડીયા, રાજ રાદડીયા, ભાવેશભાઇ બાબરીયા, હરીલાલ કોરાટ સહિતના હાજર રહેલ હતા.
માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ રાદડીયા પરિવારની સેવાઓને બિરદાવી સ્વ. ધોરીબેનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને આ રપ6મું ચક્ષુદાન મળેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy