ધોરાજી, તા. 16
જેતપુરના મણીભાઇ જોગીનું અવસાન થતા ચક્ષુદાન કરાયુ હતું. માનવ સેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી હોસ્પિટલને આ રપ1મું ચક્ષુદાન મળ્યું છે. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને મોડી રાત્રે જેતપુરના અગ્રણી મહેભાઇ છાંટબાર દ્વારા ટેલીફોન દ્વારા ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા ધોરાજી સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને મેડીકલ ટીમના ડો. આકાશ ગેડીયા, દિપક ભાસ્કર, પાર્થ સોલંકી, નીતીન ચુડાસમા સહિતનાઓએ ચક્ષુદાન અંગે કામગીરી કરેલ હતી.
આ તકે ભરતભાઇ જોગી, મહેશભાઇ છાંટબાર, ચંદ્રેશભાઇ પડીયા, કરણભાઇ જાજલ સહિતના હાજર રહેલ હતા. આ તકે જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. નીકીતાબેન પડીયાએ ચક્ષુદાન અંગેની તમામ વ્યવસ્થાઓ કરી આપેલ હતી.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ જેતપુરના જોગી પરિવારની સેવાઓને બીરદાવી સ્વ. મણીભાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન કરવા માટે મો. નં. 98987 01774, 98987 1પ77પ અને સરકારી હોસ્પિટલ ધોરાજીના ફોન નં. 02824-220139 પર કોન્ટેકટ કરવા જણાવાયું છે. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને આ રપ1મું ચક્ષુદાન મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy