ખંભાળિયા નજીકકારની અડફેટે વૃદ્ધનું મૃત્યુ

Local | Jamnagar | 09 May, 2024 | 03:03 PM
સાંજ સમાચાર

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા.9

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર મંગળવારે સાંજના સમયે મોટરસાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને અલ્ટો કારના ચાલકે અડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતનો આ બનાવ હિટ એન્ડ રનનો બની રહ્યો હતો.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા કાનાભાઈ દેવાણંદભાઈ નંદાણીયા નામના આહિર વૃદ્ધ મંગળવાર તારીખ 7 ના રોજ સાંજના સમયે અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર કંડોરણા ગામના પાટીયા પાસેથી પોતાના જી.જે. 37 કે. 4113 નંબરના મોટરસાયકલ લઈને પેટ્રોલ ભરાવવા ગયા હતા. તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે આ માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી જી.જે. 10 ડી.એ. 3128 નંબરના એક અલ્ટો મોટરકારના ચાલકે કાનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલક કાનાભાઈને ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર ગોવિંદભાઈ કાનાભાઈ નંદાણીયાની ફરિયાદ ખંભાળિયા પોલીસે અલ્ટો કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
પૈસાની લેતી દેતી બાબતે ગઢેચીના યુવાનને હાર્ટ એટેક આવી ગયો...

ઓખા મંડળના મીઠાપુર તાબેના ગઢેચી ગામે રહેતા શુક્લ બોઘાભા સુમણીયા નામના 48 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવી જતા તેમને દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

મૃતક શુક્લભાની વાડીએ તેમના ઓખા મુકામે રહેતા સાળા કેશુભા માલાભા માણેક હાથ ઉછીના પૈસા માંગવા જતા તેમની સાથે થયેલા ઝઘડા અને ગાળાગાળી બાદ ફડકો ઝીંકી લેવામાં આવતા આનાથી તેમને ગભરામણ થવા લાગી હતી અને ત્યાર બાદ હાર્ટ એટેક આવી ગયો હોવા અંગેની જાણ મૃતકના મોટાભાઈ મોટાભાઈ ભૂટાભા બોઘાભા સુમણીયાએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
નંદાણાના વિદ્યાર્થી યુવાને અકળ કારણોસર આપઘાત કર્યો

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા પાર્થ વિનોદભાઈ સચદેવ નામના 20 વર્ષના વિદ્યાર્થી યુવાને ગઈકાલે બુધવારે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર પોતાના ઘરના રૂમમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંભળ્યો હતો.

આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા વિનોદભાઈ કાનજીભાઈ સચદેવ (ઉ.વ. 55) એ કલ્યાણપુર પોલીસને કરી છે. આશાસ્પદ યુવાનના આપઘાતના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

દ્વારકામાં અજાણ્યા આધેડનો મૃતદેહ સાંપળ્યો
દ્વારકામાં આવેલા કીર્તિ સ્તંભ વિસ્તારના પાર્કિંગમાં આશરે 52 વર્ષના એક અજાણ્યા આસામીનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે આ અજાણ્યા આધેડના મૃતદેહનો કબજો મેળવી, પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગેની નોંધ કિશનભાઈ પરબતભાઈ ખારવાએ દ્વારકા પોલીસને કરતા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj