રાજકોટ, તા.18 વેરાવળ (શાપર)માં દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. શાપર પોલીસ મથકે ગીતાબેન વાગડીયાએ સતાર રવકુડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ગીતાબેન અશોકભાઇ વાગડીયા (ઉ.વ.45)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું મારૂતી નગર, શેરી નં.21 વેરાવળ (શાપર) ગામમાં રહું છું. મજુરીકામ કરું છું. મારે સંતાનમાં બે દિકરા તથા મારે એક દિકરી છે. જેમાં સૌથી મોટો દિકરો નામે મનીષ છે. બાદ દિકરી રાધા અને સૌથી નાનો દિકરો રાહુલ છે. તા. 17/4ના રોજ બપોરના દોઢેક વાગ્યે હું મારા ઘરે એકલી હતી. ત્યારે મારા પતિ દોઢેક વાગ્યે અમારૂ ટ્રેકટર લઈને અમારા ઘરે આવેલ અને અમારા ઘર પાસે આવેલ મારૂતી નગર ચોક ખાતે મારા પતિ ટ્રેકટ2 રિવર્સમાં લેતા હતા. ત્યારે અમારી પાછળની શેરીમાં રહેતા સતારભાઈ હુસેનભાઈ રવકુડા બાઈક લઇને અમારા ઘર પાસે આવેલ ચોક ખાતે આવેલ અને મારા પતિને આ સતારભાઈ જેમફાવે તેમ અપશબ્દો કહી બોલ્યા કે, તું તારું ટ્રેકટર કેમ મારી માથે નાખેશ. તમને બંન્નેમાંથી એકેયને જીવતા નથી છોડવાના. દેકારો થતા આજુબાજુના માણસો ભેગા થઈ જતા હું તથા મારા પતિ અમારા ઘરમાં ચાલ્યા ગયા હતા. જે પછી સતારભાઈ અમારા ઘર પાસેથી જતા રહેલ. જે પછી અમે પોલોસ સ્ટેશને આ સતારભાઈ વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરવા ગયેલ હતા. આ બનાવ બનવાનું કારણ એવુ છે કે, મારા પતિ ટ્રેકટર ચલાવીને જતા હતા ત્યારે આ સતારભાઇને એમ થયેલ કે મારા પતિ અશોકભાઈ તેની ઉપર ટ્રેકટર નાખશે. તેવુ માની અમારી ઉપર રોષ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy