રાજકોટ,તા.27
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ, વડતાલ ધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને રંગબેરંગી પુષ્પોના દિવ્ય અને મનમોહક શણગાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, દર શનિવારે અહીં દાદાને વિવિધ શણગારો કરવામાં આવે છે અને આજે મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો, સંધ્યા આરતીનું અહીં ખાસ મહત્વ રહેલું છે, રાજપોચાર પદ્ધતિથી અહી દાદાની સંધ્યા આરતી થાય છે જેમાં હજારો ભક્તો જોડાય છે આપ પણ આજના શનિવારના પવિત્ર દિવસે સાંજે 7.00 કલાકે થતી દાદાની સંધ્યા આરતીનો દર્શનનો લાભ લેવા બાલાજી હનુમાનજી મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy