રાજકોટ તા.3
શહેરના કુવાડવા રોડ પર આવેલા બદ્રીનાથ મંદિરના મહંત પર હુમલો કરનારા સામે પગલા લેવાની માંગણી સાથે વિવિધ હિન્દુ સંગઠ્ઠનો દ્વારા આજે કલેકટરતંત્રને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સ્વયંસેના, હિન્દુસેના, સનાતન ભગવાધારી, જયશ્રી રામ સેના સહિતના સંગઠ્ઠન દ્વારા કરાયેલી આ રજુઆતમાં જણાવાયું છે કે ગત તા.3-6ના રોજ બદ્રીનાથ મંદિર મહંત પર 5 વિધર્મીની ટોળીએ જીવલેણ હુમલો કરેલ હોય, પીડિત મહંત ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જે લોકો પર તાત્કાલીક ફરિયાદ થવી જોઈએ. તેમના બદલે ત્યાં એમ.એલ.સી. રિપોર્ટ એએસઆઈ અમિતાબેન બકુત્રાને આપેલ ત્યારબાદ તા.18/6 સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી.
જેમાં 18/6ના સ્થાનિક હિન્દુ સંગઠનોને જાણ થતા પોલીસ પ્રશાસનને ઘટના સ્થળે કાર્યવાહી માટે બોલાવેલ જેમાં પણ નિવેદન લખનાર અમિતાબેન બકુત્રા હોઈ જેથી પીડિત પુજારીના સ્પષ્ટ નિવેદનમાં વિધર્મી આરોપીઓની સંખ્યા 5 લખાવેલ હોઈ તેમને બદલે આરોપી સંખ્યા 3 દર્શાવી આરોપીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરેલ છે.
આ બનાવમાં જે નકકર કાર્યવાહી થવી જોઈએ તે હજુ સુધી થયેલ નથી જેથી આ મામલે તત્કાલ પગલા લેવા માંગણી કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy