(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26
મોરબી જીલ્લામાં કાર્યરત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરેલ જેમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે આટલું જ નહીં દૂધમાંથી બનતી મીઠાઈઓ અને ખાદ્યસામગ્રીમાં પણ ભેળસેળ કરવામાં આવે છે તેવી રજૂઆત કરીને દૂધમાં ભેળસેળ કરનારાઓની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા હાલમાં દેશના 400 જિલ્લામાં કાર્યરત છે અને તેના મોરબી જિલ્લાના કાર્યકર્તા જયંતિભાઈ રાજકોટિયા, રમેશભાઈ અઘારા, મહેશભાઈ જાની, મેહુલ ગાંભવા, અમિતભાઈ ફૂલતરિયા, નિલેશભાઈ બારૈયા, રાજુભાઈ કામારિયા સહિતનાઓ દ્વારા હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરલે છે. જેમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે.
આટલું જ નહીં દૂધમાંથી બનતી મીઠાઈઓ અને ખાદ્યસામગ્રીમાં પણ ભેળસેળ કરવામાં આવે છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવેલ છે અને લોકોના આરોગ્યની સાથે સીધા જ ચેડાં કરવામાં આવે છે ત્યારે ‘ગ્રાહક : એવમ રાજા’ સૂત્ર હેઠળ ગ્રાહકોને લાગતી આ બાબતેને ગંભીરતાથી લઈને સામૂહિક ઇતને ધ્યાનમાં રાખીને દૂધમાં ભેળસેળ કરનારા જે કોઈપણ હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy