(જીજ્ઞેશ પટેલ દ્વારા)
માણાવદર તા.17
માણાવદર શહેર તથા 55 ગામો માટે રજવાડાના વખતની સરકારી હોસ્પિટલ છે તેમાં રીનોવેશન કરાયું અને હવે નવી હોસ્પિટલ ઉભી કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી તે બની નથી પરંતુ જે હયાત હોસ્પિટલમાં કરોડોના ખર્ચે થયા છે પરંતુ દર્દીઓને મુખ્ય દવાઓ નહીં મળતી હોવાની પ્રજાજનોમાંથી વ્યાપક ફરિયાદો મળે છે ત્યારે છેલ્લાં 4થી5 માસથી ડાયાબીટીસ દર્દની દવા નહી મળતી હોવાની શહેરીજનોમાંથી લોક ફરિયાદ ઉઠવા પામી છે.
સ્થાનિક તંત્ર દર્દીઓને કહે છે કે ઉપર લખ્યુ છે દવા હજી આવતી નથી ત્યારે ઉપરી આરોગ્ય અધિકારી કે જવાબદારો કોણ? કે જે માનવ જીંદગીના ખુલ્લા દુશ્મન કોણ? સરકાર 55 ગામોની જનતા માણાવદર મોટી કહેવાતી હોસ્પિટલમાં સૌથી ખરાબ એવું દર્દ ડાયાબીટીસની દવા ના મળે આરોગ્ય વિભાગની બેદરકારી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy