રાજકોટ, તા.5
ભારતમાં ચોમાસાના આગમનને એક મહિના કરતાં વધુનો સમયગાળો થઇ ગયો છે અને ઝડપથી આગળ વધવા સાથે સમગ્ર દેશને કવર કરી લીધું છે. અલ-નીનો ખત્મ થવા સાથે લા-નીનાની સ્થિતિ સર્જાવાની અસરે નોર્મલ કરતાં વધુ વરસાની અટકળો વ્યકત થઇ રહી છે. જ્યારે જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કહ્યું કે ભારતમાં ચોમાસુ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય ત્યાં સુધી લા-નીનાની સ્થિતિ પ્રસ્થાપિત થઇ શકે તેમ નથી.
વર્તમાન આગાહી અને વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે જુન 2024ના અંતમાં AMJ2024 સીઝન માટે ONI +0"C સુધી ઘટી ગયું છે એટલે પ્રથમ ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયેલ છે અને 2023-24ના એલ નિનોનો અંત આવ્યો.
ENSO ન્યુટ્રલ સ્થિતિ બેક મહિના માટે ચાલુ રહેવાની અપેક્ષા છે. સંપૂર્ણ લા-નાના એપિસોડ તરીકે વર્ગીકૃત કરવા માટે નેગેટિવ ONI-0.5’'C અથવા તેનાથી ઓછી ઘગઈં ઓછામાં ઓછા 5 સળંગ ઓવરલેપિંગ 3 મહિનાની સીઝન માટે રહેવું જોઇએ. ભારતીય દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસુ સપ્ટેમ્બર-2024માં પુરું થતું હોય તે સમય દરમિયાન લા-નીનાની સ્થાપના શક્ય નથી.
આગળના 100 વર્ષથી વધુની શરેરાશ પ્રમાણે એલ-નીનો વર્ષમાં ભારતીય ચોમાસુ 94 ટકા રહેલ છે. જ્યારે લા-નીના વર્ષમાં ચોમાસુ 106 ટકા રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિધ પરિબળો પૈકીનું એલ-નીનો લા-નીના ફક્ત એક પરિબળ છે. ભારતના અલગ અલગ વિસ્તારોના ચોમાસા પર એલ-નીનો લો-નીનાની અસર એક સરખી નથી. જે હાલ રિસર્ચનો ઠોસ વિષય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy