અલ-નીનો ખત્મ છતાં ભારતમાં ચોમાસાની સિઝન દરમ્યાન લા-નીના પ્રસ્થાપિત નહીં થાય

India, Gujarat | 05 July, 2024 | 04:24 PM
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલનો નિર્દેશ
સાંજ સમાચાર

રાજકોટ, તા.5
ભારતમાં ચોમાસાના આગમનને એક મહિના કરતાં વધુનો સમયગાળો થઇ ગયો છે અને ઝડપથી આગળ વધવા સાથે સમગ્ર દેશને કવર કરી લીધું છે. અલ-નીનો ખત્મ થવા સાથે લા-નીનાની સ્થિતિ સર્જાવાની અસરે નોર્મલ કરતાં વધુ વરસાની અટકળો વ્યકત થઇ રહી છે. જ્યારે જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કહ્યું કે ભારતમાં ચોમાસુ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય ત્યાં સુધી લા-નીનાની સ્થિતિ પ્રસ્થાપિત થઇ શકે તેમ નથી.

વર્તમાન આગાહી અને વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે જુન 2024ના અંતમાં AMJ2024 સીઝન માટે ONI +0"C  સુધી ઘટી ગયું છે એટલે પ્રથમ ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયેલ છે અને 2023-24ના એલ નિનોનો અંત આવ્યો.

ENSO ન્યુટ્રલ સ્થિતિ બેક મહિના માટે ચાલુ રહેવાની અપેક્ષા છે. સંપૂર્ણ લા-નાના એપિસોડ તરીકે વર્ગીકૃત કરવા માટે નેગેટિવ ONI-0.5’'C અથવા તેનાથી ઓછી ઘગઈં ઓછામાં ઓછા 5 સળંગ ઓવરલેપિંગ 3 મહિનાની સીઝન માટે રહેવું જોઇએ.  ભારતીય દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસુ સપ્ટેમ્બર-2024માં પુરું થતું હોય તે સમય દરમિયાન લા-નીનાની સ્થાપના શક્ય નથી.

આગળના 100 વર્ષથી વધુની શરેરાશ પ્રમાણે એલ-નીનો વર્ષમાં ભારતીય ચોમાસુ 94 ટકા રહેલ છે. જ્યારે લા-નીના વર્ષમાં ચોમાસુ 106 ટકા રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિધ પરિબળો પૈકીનું એલ-નીનો લા-નીના ફક્ત એક પરિબળ છે. ભારતના અલગ અલગ વિસ્તારોના ચોમાસા પર એલ-નીનો લો-નીનાની અસર એક સરખી નથી. જે હાલ રિસર્ચનો ઠોસ વિષય છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj